Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં બસ સ્ટેન્ડમાં મસમોટા ખાડા પડતા બસચાલકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

ખેડા:જીલ્લાના વડા મથક નડિયાદના બસ સ્ટેશનમાં મસમોટા ખાડા પડવાને કારણે મુસાફર જનતા તેમજ બસચાલકો હેરાન થઈ રહ્યાં છે. આ ઉપરાંત મુસાફરો ખાડામાં પડી જવાના બનાવો પણ બને છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદમાં હાલ બેના બદલે એક જ બસ સ્ટેશન પરથી બસો દોડાવવામાં આવી રહી  છે. ઉપરાંત અહિંથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પંચમહાલ અને અન્ય રાજ્યોમાં પણ બસો દોડાવવામાં આવે છે. આ બસ સ્ટેન્ડમાં દૈનિક એક હજારથી વધુ બસોની અવરજવરને કારણે  આખો દિવસ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે.ગત સપ્તાહે પડેલા ભારે વરસાદ બાદ બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. તેમાં પણ ડાકોર, ગોધરા તથા બરોડા, સુરત તરફ જવાના પ્લેટફોર્મ નં. ૧૫ થી ૨૦ની વચ્ચે મોટા ખાડાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે. 

ઘણી વખત ખાડામાં બસના પૈડાં પડવાથી ઉડતા પાણીના છાંટાથી મુસાફરોની કપડાં પણ બગડે છે. બસસ્ટેન્ડમાં આવતા મુસાફરો  ખાડામાં પડી જવાના બનાવો પણ બન્યા છે. પરંતુ તંત્ર દ્વારા ખાડા પૂરવાની તસ્દી લેવામાં આવતી ન હોવાનુ સ્થાનિક જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.

(5:43 pm IST)