Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

Everest મસાલાના વાડીલાલ શાહનું નિધન, પાંચ દિવસમાં પરિવારમાં બીજું નિધન

અમદાવાદ : દેશની ખૂબ જ પ્રસિદ્ધ મસાલા બ્રાન્ડ એવરેસ્ટના સ્થાપક તેમજ માલિક વાડીલાલ શાહનું આજે શુક્રવારે મુંબઈ ખાતે અવસાન થયું છે. શાહ પરિવારમાં પાંચ દિવસમાં આ બીજું મોત છે. વાડીલાલ શાહની ઉંમર 83 વર્ષ હતી. તેમના નિધન અંગેની જાણકારી તેમના પુત્ર રાજીવ અને સંજીવ શાહે આપી હતી. 16 ઓગસ્ટના રોજ વાડીલાલ શાહના પત્નીનું નિધન થયું હતું. પાંચ જ દિવસમાં પરિવારમાં બીજું મોત થતાં શાહ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. વાડીલાલ શાહને બધા વાડીકાકાના હુલામણા નામથી ઓળખતા હતા. વાડીલાલ શાહ પરિવારના તાર ગુજરાતના જામનગર શહેર સાથે જોડાયેલા છે.

(5:52 pm IST)