Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

નર્મદા જિલ્લામાં નવા ૧૧ કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંકડો ૫૭૬ થયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય જિલ્લા બીજા નવા ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ના માલિવાડ-૦૨,છત્રવિલાસ-૦૨,કસબાવા

ડ-૦૧,વૃંદાવન સોસાયટી-૦૧ અને પાઠક ખડકી-૦૧ તેમજ નાંદોદ તાલુકા ના આમલેથા ગામમાં-૦૧,ધમણાચા-૦૧,જ્યારે ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની-૦૨ કેસ સાથે નર્મદા જિલ્લા માં કુલ ૧૧ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૦૯ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૨૨ દર્દીઓ દાખલ છે આજે ૦૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૫૧૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૭૬ પર પોહોચ્યો છે, આજે વધુ ૩૭૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(6:40 pm IST)