Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કાલનો મુખ્‍યમંત્રીનો રાજ્‍ય સ્‍વાગત ઓનલાઇન કેન્‍સલ

રાજકોટ,તા.૨૧: રાજયના નાગરિકો,પ્રજાજનોની સમસ્‍યાઓ ,રજૂઆતોના ટેકનોલોજીના માધ્‍યમથી સ્‍થળ પર નિવારણનો મુખ્‍યમંત્રીશ્રીનો સ્‍વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણનો રાજય સ્‍વાગત કાર્યક્રમ કાલે ગુરૂવારે યોજવામાં આવશે નહિ.

દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો  મુખ્‍યમંત્રીશ્રીનો આ રાજય સ્‍વાગત કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના સત્રની કામગીરી ગુરૂવાર તા.રર સપ્‍ટેમ્‍બરના રોજ ચાલુ હોવાથી મોકૂફ રાખવામાં આવ્‍યો છે.

(11:30 am IST)