Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

રાજ્યમાં વધુ બે IAS અધિકારીઓની બદલી

દાહોદનાં જિલ્લા વિકાસ અધિકારી તેજસ દિલીપભાઇ પરમાર અને ગાંધીનગરનાં ઉપ સચિવ મિલિન્દ બાપનાની બદલી

અમદાવાદ :  રાજ્યમાં વધુ બે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં દાહોદનાં જિલ્લા વિકાસ અધિકારી તેજસ દિલીપભાઇ પરમારની બદલી કરવામાં આવી છે. જેઓને સરકારનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરનાં ઉપ સચિવ તરીકે મિલિન્દ બાપનાની જગ્યાએ મૂકવામાં આવ્યાં છે. જ્યારે સરકારનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરનાં ઉપ સચિવ મિલિન્દ બાપનાની દાહોદનાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યાં પહેલાં તેજસ દિલીપભાઇ પરમાર હતાં.

(10:58 pm IST)