Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

રાજપીપળા રામગઢને જોડતા પુલનો પીલ્લર બેસી ગયા બાદ કામગીરી શરૂ થતાં મોટા વાહનો માટે પુલ બંધ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા થી રામગઢ ને જોડતો કરજણ નદી પરના પુલનો પીલ્લર બીજી વખત બેસી ગયા બાદ ઘણા દિવસો સુધી આ જોખમી પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો જે લોકો માટે જોખમી હોવા છતાં કોઈ અવરોધ મુકવામાં ન આવતા નાના મોટા વાહનોની અવર જવર ચાલુ હતી ત્યારબાદ આજરોજ કામ ચાલુ થતા તંત્ર દ્વારા પુલની બંને તરફ અવરોધ મુકાયા છે છતાં હજુ ટુ વ્હીલ વાહનો ચાલુ રખાયા છે,આ કામગીરી યોગ્ય કરી અવાર નવાર પુલમાં ક્ષતિ નહિ થાય તે બાબતે અધિકારીઓ ધ્યાન આપે તે જરૂરી છે

(12:51 pm IST)