Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

સુરતમાં રખડતા કૂતરાનો આતંક વધ્યો છેલ્લા: 15 દિવસમાં શેરી કૂતરાના કરડવાના 477 કેસ નોંધાયા

ત્રણ વર્ષના બાળકોથી લઈનેવૃધ્ધો સુધીના લોકોને બનાવ્યા શિકાર

સુરતમાં રખડતા કૂતરાઓએ આતંક વધ્યો છે. સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં શેરી કૂતરાના કરડવાના 477 કેસ નોંધાયા છે.ત્રણ વર્ષના બાળકોથી લઈને વૃદ્ધો કુતરાનો શિકાર બન્યા છે. કૂતરાના કરડવાથી એક બાળકીનું પણ મોત પણ થયું છે. એક તરફ સુરત મહાનગર પાલિકા રખડતા કૂતરાઓની નસબંધી કરવાનો દાવો કરી રહી છે જેના કારણે રખડતા કૂતરાઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે.

માત્ર સુરતમાં જ છેલ્લા 15 દિવસમાં 477 લોકો કૂતરા કરડવાથી સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા છે. સોમવારે પણ 15 લોકો કૂતરા કરડવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિમાલી બોઘાવાલાનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા શ્વાનની નસબંધી અને રસીકરણ માટે ખાનગી કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું છે. કંપનીએ અત્યાર સુધીમાં 12 હજાર કૂતરાઓને નસબંધી અને રસી આપી છે. કુલ 20 હજાર કૂતરાઓનું નસબંધી અને રસીકરણ કરવામાં આવનાર છે. એવું કહેવાય છે કે સુરતમાં દરરોજ કૂતરા કરડવાના 20 થી વધુ કેસ સામે આવી રહ્યા છે. લોકો બાળકોને ઘરની બહાર એકલા મોકલવામાં પણ ડરી રહ્યા છે. મેયર હિમાલી બોધાવાલા કહે છે કે હવે મહાનગરપાલિકાએ કૂતરાને પકડવા માટે નવા પાંજરા પણ મંગાવ્યા છે.

કૂતરાઓના વધી રહેલા ત્રાસ બાદ હવે સુરત મહાનગરપાલિકાની ટીમે પણ 24×7 ડોગ કેચિંગ ટીમ તૈનાત કરી છે. પશુપાલન ડોક્ટરનું કહેવું છે કે માદા કૂતરામાં કેટલાક હોર્મોનલ ફેરફારો નોંધાયા છે. આ કારણે તે લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. આ ઉપરાંત જ્યાં સુધી મેલ ડોગ્સની વાત છે, તેઓ ભૂખ્યા હોય ત્યારે હુમલો કરે છે. કૂતરાઓના સંવર્ધનની પ્રક્રિયામાં પણ ફેરફાર જોવા મળ્યો છે. જેના કારણે કુતરા માણસોને કરડે છે

 

(9:04 pm IST)