Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

સાણંદના આંબા તળાવમાં ડુબી જવાથી બે બાળકોના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૨: અમદાવાદ જીલ્લાના સાણંદ શહેરમાં આવેલ આંબા તળાવમાં બે બાળકો ડૂબી જવાથી મોત નિપજ્‍યા છે.  રાધે ફ્‌લેટ  ખાતે રહેતા શિવ ભદ્ર  (ઉ.વ.૧૨) અને જયવીર (ઉવ ૧૦)  બંને જણા ગુમ થયા હતા. ભારે શોધખોળ છતાંય તેઓ મળી આવ્‍યા નહોતા.

ભારે તપાસ બાદ જાણવા મળ્‍યું હતું કે બંને બાળકો તળાવ પાસે રમતા હતા. જેના આધારે તળાવમાં તપાસ કરવામાં આવી હતી. સ્‍થાનિક તરવૈયાઓ અને ફાયરબ્રિગેડની મદદથી તળાવમાં શોધખોળ બાદ બંને બાળકોના મળતદેહો મળી આવ્‍યા હતા.  ગામમાં ભારે શોકની લાગણી વ્‍યાપી જવા પામી હતી.

(12:24 pm IST)