Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

અંકલેશ્વર-ભરૂચ નજીક બાઈકનું ટાયર અચાનક ફાટી જતા સર્જાયેલ અકસ્માતમાં યુવકનું કમકમાટીભર્યું મોત

અંકલેશ્વર : અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર બાઈક ચાલકને અકસ્માત નડતા તેનુ  મોત નીપજ્યુ હતુ. મૂળ બિહાર અને હાલ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ નર્મદા સોસાયટીમાં રહેતા ગુડુંકુમાર હરેન્દ્રપ્રસાદ પટેલ અને તેઓના રૂમ પાર્ટનર ૩૨ વર્ષ પ્રવીણકુમાર રાજેન્દ્ર સિંઘ અને કેશવ કુમાર સાથે અલગ અલગ મોટર સાઇકલ ઉપર અંકલેશ્વરથી ભરૂચ જવા નીકળ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર છાપરા પાટિયા નજીક બાઈકઉપર કેશવકુમાર જાનહ અને પ્રવીણકુમાર રાજેન્દ્ર સિંઘ સવાર હતા. તે સમયે બાઇકનું ટાયર ફાટતા બાઈક માર્ગ ઉપર ડિવાઇડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તેઓને ૧૦૮ સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રવીણ કુમાર રાજેન્દ્ર સિંઘનું મોત નીપજ્યુ હતુ.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

(5:28 pm IST)