Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષનું પદ નહીં મળે : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા લેવાયો નિર્ણય

અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષનું પદ નહિ મળે આ નિર્ણય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા લેવામાં આવ્યો છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત વિધાનસભાના સંસદીય નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી. જેમાં નિયમ પ્રમાણે 10 ટકા સંખ્યાબળ ફરજિયાત છે. જ્યારે વિપક્ષના પદ માટે કોંગ્રેસ દ્વારા મોડી માંગણી કરવા હોવાની વાત સામે આવી છે

જો કે આ પૂર્વે, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહેલ અમિત ચાવડાને વિધાનસભાના કોંગ્રેસ દળના નેતા તરીકે જવાબદારી સોંપાઈ છે તો ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરાઈ છે. અમિત ચાવડાની વિધાનસભા નેતા તરીકે પસંદગી થતા જ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે તેમના સમર્થકોએ ઉજવણી કરી હતી.

 

(8:56 pm IST)