Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

અમદાવાદમાં કર્ણાવતી એગ્રિકલ્ચર ખાનગી માર્કેટ યાર્ડનો પ્રારંભ

10 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલું ભારતનું મોટું ખાનગી માર્કેટ યાર્ડ:ખેડૂતોને વિશેષ સુવિધા મળશે

અમદાવાદમાં  કર્ણાવતી એગ્રિકલ્ચર ખાનગી માર્કેટ યાર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 10 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલું ભારતનું મોટું ખાનગી માર્કેટ યાર્ડ છે. આ માર્કેટ યાર્ડ 365 દિવસ કાર્યરત રહેશે. આ ઉપરાંત કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વિશેષ સુવિધા મળશે.

 કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડમાં સ્વાસ્થય સલામતી, સીસીટીવીથી સજ્જ, આર.સી.સી રોડ, વે બ્રિજ, પાર્કિંગ વ્યવસ્થા, બેંક, એટીએમ, સિક્યોરીટી, ખેડૂતો માટે સસ્તા ભાવે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડમાં 223 કમિશન એજન્ટ હશે.

 ભાજપના ધારાસભ્ય બાબુભાઇ પટેલ અને સહકાર સેલના ચેરમેન બિપિનભાઈ પટેલ ખાનગી APMC બનાવ્યું છે. આ ખાનગી APMC બનાવવા ઉદ્દેશ મામલે બાબુભાઈ પટેલ નિવેદન સરકારી APMCના ધારાધોરણ પ્રમાણે ખાનગી માર્કેટ યાર્ડ ચાલશે. જેમાં માર્કેટ યાર્ડ કાર્યરત થયા બાદ ફ્રૂટ અને ડુંગળી બટાટા માટે નવું યાર્ડ તૈયાર કરાશે. આ ખાનગી માર્કેટ યાર્ડથી ખેડૂતો ફાયદો થવાની યાર્ડના માલિક કહેવું છે.

 

(11:42 pm IST)