Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

આણંદ જિલ્લાના બોરસદમાં લગ્ન પ્રસંગે ચૂલો સળગાવવા જેવી બાબતે કાકા-ભત્રીજા વચ્ચે થયેલ બોલાચાલીમાં ભત્રીજાએ કાકાને મોતનેઘાટ ઉતારતા ચકચાર

આણંદ:જિલ્લાના બોરસદ તાલુકાના વિરસદ ગામની ખોડિયારપુરા સીમમાં લગ્ન પ્રસંગે ચુલો સળગાવવા જેવી સામાન્ય બાબતે કાકા-ભત્રીજા વચ્ચે થયેલ બોલાચાલીમાં કાકાના હાથે ભત્રીજાની હત્યા થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. 

જો કે પોતાના હાથે ભત્રીજાનું મૃત્યુ નીપજ્યું હોવા અંગે મનમાં લાગી આવતા કાકાએ બાદમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેઓને તુરત સારવાર અર્થે હોસ્પિટસલમાં ખસેડાયા હતા. હત્યાના બનાવને લઈ લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. બનાવ અંગે વિરસદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના વિરસદ ગામે ખોડિયારપુરા સીમમાં રહેતા અરવિંદભાઈ ઉર્ફે જગદીશભાઈ નાનજીભાઈ ઠાકોર (ઉં.વ.૨૫)ના ઘરે લગ્ન પ્રસંગ હોઈ ભોજન સમારોહ માટે ગત તા.૧૯મીના રોજ રાત્રિના સુમારે પરિવારજનો એકત્ર થયા હતા. દરમ્યાન રસોડુ કરવા માટે અરવિંદભાઈ ઉર્ફે જગદીશભાઈ અને તેઓના કાકા પુનમભાઈ સહિતના માણસો ઘરની બહાર ચુલાનો ખાડો ખોદવા ઉભા હતા. સમયે અરવિંદભાઈ અને કાકા પુનમભાઈ વચ્ચે ખાડો ખોદવા અંગે બોલાચાલી થયા બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી થતાં ઉશ્કેરાઈ ગયેલ પુનમભાઈ ઠાકોરે અરવિંદભાઈ ઉર્ફે જગદીશને જોરથી લાત મારતા અરવિંદ ઉર્ફે જગદીશ પટકાયા હતા અને તેઓને માથાના ભાગે તપેલુ વાગતા ગંભીર ઈજાઓ પહોંચતા ત્યાં ફસડાઈ પડયા હતા. દરમ્યાન બુમાબુમ થતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને તુરંત અરવિંદભાઈને હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

(6:14 pm IST)