Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રાજપીપળા સર્કિટ હાઉસમાં આપની યોજાયેલ મીટીંગમાં પાર્ટીને મજબૂત બનાવવા રણનીતિ નક્કી કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યા બાદ આવનારા સમયમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ જેમાં આવનારા દિવસોમાં સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવા માટે રણનીતિ તૈયાર કરાઈ જેમાં દરેક ગામે ગામ ઘરે ઘર અને બુથ લેવલ સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીની જે વિચારધારાઓ છે તે વિચારધારા દરેક ઘર સુધી પહોંચાડે તે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને આવનારા દિવસોમાં પાર્ટી ના જિલ્લાના તેમજ તાલુકા અને શહેરના સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા અને ટૂંક સમયમાં તમામ હોદ્દેદારોની નિમણૂક કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

(10:15 pm IST)