Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

અમદાવાદમાં ભારે વરસાદ પડતાં રિવરફ્રન્ટ હાઉસ પર યોજાનાર વીરાંજલી કાર્યક્રમ રદ

કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ :સ્ટેજ અને બેઠક વ્યવસ્થા પલળી જવાના કારણે નિર્ણય: કાલે યુનિવર્સીટી કન્વેન્શન હોલમાં આયોજન

અમદાવાદમાં વરસાદ પડતાં રિવરફ્રન્ટ હાઉસ પર યોજાનાર વીરાંજલી કાર્યક્રમ આજે રદ કરાયો છે . અમદાવાદમાં વરસાદના કારણે 8 વાગે આયોજિત કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરાયો છે. સ્ટેજ અને બેઠક વ્યવસ્થા પલળી જવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું આવતીકાલે યુનિવર્સીટી કન્વેન્શન હોલમાં આયોજન કરવામાં આવશે. જેમાં કિર્તીદાન ગઢવી, ગીતા રબારી, પ્રતીક ગાંધી સહિતના કલાકારો પરફોર્મ કરવાના હતા

(11:13 pm IST)