Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

લગ્નમાં ચાંદલો કરવા રૂપિયા નહિ હોવાથી સમાજમાં ઈજ્જત જશે નાં ડરે યુવાને કર્યો આપઘાત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ વિભાગમાંથી મળતી માહિતી મુજબ એક યુવક પાસે લગ્નમાં ચાંદલો કરવા પૈસા નહિ હોવાથી ઈજ્જત જાય તેવા વિચાર કરી ઝેરી દવા પી લેતા મોત થયું છે.

  મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના કુકળદા ગામમાં બનેલી ઘટનામાં મરનાર કિરણભાઇ બહાદુર ભાઇ વસાવા (ઉ.વ.આ.૩૬)( રહે.કુકળદા ગેટ ફળીયું તા.દેડીયાપાડા જિ.નર્મદા )નાઓનેએ વાડવા ગામે લગ્ન પ્રસંગમાં ચાંદલો કરવા સારૂ ઘરના સભ્યોએ પૈસા આપેલ ન હોય અને તેની પાસે પણ ચાંદલો કરવા માટેના પૈસા ન હોય જેથી સમાજમાં હું ચાંદલો નહીં કરૂં તો મારી કોઇ ઇજ્જત રહેશે નહીં તેમ વિચારી કિરણભાઈને મનમાં લાગી આવતા પોતે પોતાની જાતે પોતના ઘરમાં મૂકેલ ઝેરી દવા પી જતા તાત્કાલિક સારવાર અર્થે લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(10:29 pm IST)