Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કવિ 'આપ'ની આજે ૨૭મી પુણ્યતિથિ

કવિ આપ સ્મૃતિ વિશેષ 'સંભારણાં' કાર્યક્રમ મુલતવી

'જાણણહાર અજાણ' કાર્યક્રમનું યુ ટ્યુબ ચેનલ પરથી પ્રસારણ

રાજકોટઃ ગુજરાતના ગામડે ગામડે અને પ્રદેશ રાજયના સીમાડા વળોટી દેશ પરદેશ જેનાં ગીતો ગુંજે છે એવાં સૌરાષ્ટ્ર- ગુજરાત અને આપણાં રાજકોટના ર્ગૌરવરૂપ કવિ, લેખક, ગાયક, વકતા, ગીતકાર, સ્વરકાર, સંગીતકાર સ્વ.આપાભાઈ ગઢવી (કવિ 'આપ')ની આજે તા.૨૩ જૂન, ૨૭મી પુણ્યતિથિ છે. એમની સ્મૃતિમાં પ્રતિવર્ષ કવિ આપ પરિવાર 'સંભારણા' કાર્યક્રમનું આયોજન કરે છે પણ ગત્ વર્ષની જેમ આ વર્ષે પણ કોવીડ-૧૯ની મહામારીને લઈ સરકારશ્રીની ગાઈડલાઈનને અનુસરતાં આ વર્ષના કાર્યક્રમને મુલતવી રાખવાની ફરજ પડેલ છે. પ્રતિકરૂપે આપાભાઈ ગઢવી ઓફિશ્યિઅલી યુ ટયુબ ચેનલ પર આજે 'જાણણહાર અજાણ' કાર્યક્રમ નિહાળી શકાશેનું એક યાદીમાં જણાવાયું છે.
 

(11:39 am IST)