Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રાજપીપળા હરસિધ્ધિ મંદિરમાં આવેલી સરસ્વતી વિદ્યાલયમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંગઠન ટ્રસ્ટી સરસ્વતી વિદ્યાલય શ્રી હરસિધ્ધિ  મંદિર પરિસરમાં આજરોજ પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી વાલીઓ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા શોભા યાત્રાના રૂપમાં બાળકો વાલીઓ તેમજ શાળાના આચાર્યો જોડાયા શ્રી હરસિધ્ધિ મંદિર તથા શ્રી ગાયત્રી મંદિર ના દર્શન કરાવી પ્રદક્ષિણા કરી પ્રવેશ કરાવ્યા આ દરમિયાન શોભાયાત્રા દ્વાર અતિવૃષ્ટિ કરતા વાતાવરણ પવિત્ર મંગળમય બન્યું ધોરણ 1 ના નવા પ્રવેશ મેળવેલ બાળકોને કંકુ પગલા પાડી વંદના કરી દીપ પ્રગટાવી પ્રાર્થના થઈ બાળકોએ તેમની માતા સાથે પાટી માં ૐ લખાવી વિદ્યારંભ સંસ્કાર સાથે ભણવાની શરૂઆત કરી ભારતીય પરંપરા મુજબ આધ્યાત્મિક વાતાવરણ માં શિક્ષણની શરૂઆત કરી હતી.

(10:16 pm IST)