Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રાજ્યના આઇબીના ૩૧ પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન સાથે બદલી

કે. જી. દવેને રાજકોટ, ધંધુકાના વી. જે. પરમારને મોરબી, માંડવીના પી.એમ. સુથારને ધોરાજી, એસ.આર. મોતીવારસને જામનગર અને ગાંધીનગરના એન. આર. પાંડવને માંગરોળ મુકાયા

રાજકોટ તા. ૨૩: રાજ્યના આઇબી વિભાગમાં ફરજ બજાવતાં ૩૧ પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપી સાથોસાથ અલગ-અલગ સ્થળોએ બદલી કરવામાં આવી છે.

જેમાં ઇન્ટે. મુખ્ય કચેરી જેએમ શાખાના કે. જી. દવેને રાજકોટ રિજીયન કચેરી ખાતે, અમદાવાદથી આર. જે. સિસોદીયાને જુનાગઢ રિજીયન વેરાવળ સેન્ટર, વડોદરાના એસ.જે. પટેલને ગોધરા સેન્ટર, ભાવનગરના એચ. આર. ગોહિલને હતાં ત્યાં જ, અમદાવાદના આર. વી. રાણાને પણ બઢતી સાથે ત્યાં જ, ગાંધીનગરના જી.એ. દેસાઇની પણ તેના જ સ્થાને, અમરેલી સેન્ટર ભાવનગર રિજીયનના કે.જે. શેખવાને એ જ સ્થળે બઢતી સાથે મુકાયા છે.

આ ઉપરાંત અમદાવાદના પી.એમ. પટેલને જુનાગઢ, એ. કે. પરમારને મહેસાણા, ધંધુકાના વી. જે. પરમારને મોરબી સેન્ટર, માંડવીના એમ. પી. સુથારને ધોરાજી  સેન્ટર, સમીબના એસ.બી. દેસાઇને અંજાર મુકાયા છે. અન્ય બઢતી પામનાર પીએસઆઇમાં ઇન્ટે. શાખાના આર. એસ. તબિયાર, ગાંધીનગરના આર. બી. ચોેધરી, ઇન્ટે. શાખાના આર. એમ. પટેલ, સીઆઇ સેલના વંદનાબા પી. ચુડાસમા, ભાવનગરના મિતલ વી. પટેલ, આઇશાખાના એસ. એફ વસાવા, સુરત વાપી સેન્ટરના એસ. આર. ગામિત, વીઆઇપી શાખાના પી. આર. પારઘી, હાંસોટના કે.એમ. રાઠોડ, ઇન્ટે.ના આર. એમ. નિસરતા, હિમતનગરના એન. આર. પાંડવ, નક્ષલ શાખાના યુ. પી. ચોૈહાણ, સિધ્ધપુરના એચ. એમ. ચોૈધરી વાવના કે. જે. જાટ, અમદાવાદના પી.એચ. પટેલ, ડી-૨ શાખાના પી.ડી. પરમાર, સુરતના જે. એચ. પરમાર, ટેકની. શાખાના એસ. આર. મોતીવારસ અને અમદાવાદના જ.કે. દેસાઇનો સમાવેશ થાય છે.

(12:57 pm IST)