Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

સુરતમાં કોરોના ફરી ટોપ ગિયર તરફ: ૨૦૦ દીવસ પછી ૧૬ કેસ નોંધાયા: ૧ નું કોરોનાથી મોત

સુરત : શહેરમાં ૧૭૦ દિવસ બાદ ભટાર વિસ્તારના આઝાદ નગરમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધનું આજે કોરોનાને કારણે મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સુરત સિટીમાં કોરોનાને કારણે ૫ જુલાઇના દિવસે અંતિમ મોત નોંધાયું હતું. આજે ૧૭૦ દિવસ બાદ કોરોના ફરી એક વખત ભરડો લીધો છે.
ઓમિક્રોનને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિશ્વભરની અંદર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સુરત શહેરમાં પણ અત્યાર સુધીમાં બે જેટલા કેસો નોંધાય ચુક્યા છે.
આજે કોરોના કારણે મોત થતાં ફરી એક વખત સુરત શહેર માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે

(10:48 pm IST)