Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજપીપળા મિત ગ્રૂપના સદસ્યએ વાંદરવેલી ગામના બીમાર વ્યક્તિને બ્લડ આપી જીવતદાન આપ્યું

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વાંદરવેલી ગામના શંકરભાઇ છગનભાઇ વસાવા નામના વ્યક્તિ બીમાર થતા તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં દાખલ કર્યા હોય જ્યાં તેમને લોહીની જરૂર પડતા ચાણોદ  મિતગ્રુપ ના સદસ્ય સચિનભાઈ એ B+ બ્લડ ની સેવા આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આમ શંકર ભાઈ વસાવાને લોહી આપી મિત ગ્રૂપના સદસ્યએ તેમની જિંદગી બચાવવા મદદ કરી હોય આ દર્દીના પરિવારે સચિનભાઈ તથા મિત ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ મિત ગ્રૂપની આવી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.

(10:33 pm IST)