Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

અમદાવાદમાં 24 કેસ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાયા:વધુ 31 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,944: કુલ 12,13,806 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 90.076 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 186 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 35 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 31 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.13.837 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.944 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.09 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 90.076 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10.95.58.251 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 186 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી અને અને 186 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 35 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 24 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 6 કેસ,સુરત કોર્પોરેશનમાં 2 કેસ, ખેડા, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે

 

(7:45 pm IST)