Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

વિરમગામના શિવ હોસ્પિટલમાં ડો.પ્રકાશ સારડા દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી

 (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  ગણેશ ચતુર્થીના પાવન દિવસથી વિરમગામ, માંડલ, દેત્રોજ-રામપુરા તાલુકામાં અનેક લોકોએ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી છે અને પુજન અર્ચન કરી રહ્યા છે. વિરમગામના જાણીતા શિવ હોસ્પિટલમાં ડો. પ્રકાશ સારડા દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે અને પરીવાર દ્વારા ગણપતિ બાપાની આરાધના કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના રોગચાળાના કારણે વિરમગામ પંથકમાં લોકો પોતાના ઘરે જ ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા છે અને ખાસ કરીને લોકો હવે ઇકો ફ્રેન્ડલી ગણેશજી મુર્તિને પ્રાધાન્ય આપી રહ્યા છે.

(7:09 pm IST)