Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

રાજયની જીવાદોરી નર્મદા બંધની સપાટીમાં સતત ૪ દિવસથી વધારો : ઉપરવારસમાંથી ૧.પ૦ લાખ કયુસેક પાણીની આવક થતા સપાટીમાં વધારો થઇ રહ્યો છે : ડેમની સપાટી ૧ર૭.ર૪ મીટરે પહોંચી ગઇ છે

 

રાજપીપળા: ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ સપાટીમાં છેલ્લા 4 દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી 127. 24 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતા પાણી સીધુ સરદાર સરોવર ડેમમાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી 1.50 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.

હાલ નર્મદા ડેમમાં 2150 MCM (મીલિયન ક્યુબિક મીટર ) લાઈવ પાણીનો જથ્થો છે. ગુજરાત માટે કેનાલમાં 6000 પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે એમ કહી શકાય કે નર્મદા ડેમ રાજ્યના ખેડૂતોને સિંચાઈ અને પીવા માટે પાણી પહોંચાડવા સક્ષમ છે. નર્મદા ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે અને નર્મદા બંધના સરોવરમાં 138.68 મીટર સુધી પાણી ભરી શકવા સક્ષમ છે. એટલે એમ કહી શકાય કે ગુજરાતના લોકો માટે આ વર્ષ ખૂબ સારું છે.

આ વર્ષે પાણીની તંગી ન પડે એ માટે નર્મદા ડેમ સક્ષમ થવા જઈ રહ્યો છે. જો કે નર્મદા ડેમના દરવાજા 121.92 મીટર પર બેસાડવામાં આવ્યા છે ત્યાર બાદ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઈ છે જો દરવાજા બેસાડવામાં ન આવ્યા હોત તો ડેમ ઓવરફ્લો થતો હોત. જો કે હાલ ડેમના દરવાજા પર 6 મીટર સુધી પાણી ભરાઈ ગયું છે.

(12:31 am IST)