Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

આશીર્વાદ સર્કલનું લોકાર્પણ કરતા નરહરિ અમીન

રાજકોટ : અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી આશીર્વાદ ફાઉન્‍ડેશન દ્વારા સરદાર પટેલ કોલોની પો, કેતન સોસાયટી સામે, નવરંગપુરા ખાતે આશીર્વાદ સર્કલનું ઉદ્‌્‌ઘાટન  શ્રી નરહરિભાઇ અમીન, સંસદ સભ્‍ય દ્વારા કરવામાં આવ્‍યું. સંસ્‍થાના પ્રમુખ સી.એ. આર.એસ. પટેલે જણાવ્‍યું કે આશીર્વાદ ફાઉન્‍ડેશનની યશકલગીમાં વધુ એક ગૌરવપૂર્ણ પીંછાનો ઉમેરો થઇ રહ્યો છે. આશીર્વાદ ફાઉન્‍ડેશનના લોગોની પાંદડાઓની આકર્ષક ડિઝાઇન દ્વારા સંસ્‍થાની આગવી ઓળખ ઉભુ કરતુ આશીર્વાદ સર્કલનું નિર્માણ, શહેર સુશોભન ક્ષેત્રે એક નજરાણુ બની રહેશે.

(3:59 pm IST)