Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

જય સ્‍વામીનારાયણ... પોઇચા નીલકંઠધામ દિવાળીની રોશનીથી ઝળહળ્‍યું

રાજકોટઃ વડોદરા નજીક નર્મદા જિલ્લામાં પોઇચા ગામમાં આવેલ શ્રી નીલકંઠધામ સ્‍વામીનારાયણ મંદિર દિવાળીની રોશનીથી ઝળહળી ઉઠયું છે. આ આત્‍માને ઉજાશ અને ઉર્જાથી ભરી દેનારૂ પર્વ છે. દિવાળી વર્ષભરની મહેનતના મીઠા ફળ મળે છે. દિવાળીએ આ દીપાવલીના શુભ પર્વ ઝગમગતા દીવડાઓની જેમ પરીવારમાં ખુશીઓ ઝગમગતી રાખવાનું શીખવે છે. પોઇચા નીલકંઠધામ સ્‍વામીનારાયણ મંદિરની રોશની આકર્ષણનું કેન્‍દ્ર બની છે. શ્રી સ્‍વામીનારાયણ ભગવાનના દર્શનાર્થે હરીભકતો મોટી સંખ્‍યામાં આપી રહયા છે તેમ શ્રી પ્રભુ સ્‍વામી જણાવે છે.

(4:12 pm IST)