Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

નડિયાદ તાલુકના ભૂમેલ ગામના તળાવમાંથી એક યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

નડિયાદ : નડિયાદ તાલુકાના ભૂમેલ ગામના તળાવમાં એક યુવાનની લાશ જોવા મળી હતી. આ લાશ ગામના ગુમ થયેલા યુવકની હોવાની ઓળખ થતાની સાથે શોકનો માહોલ છવાઇ ગયો હતો.

બનાવની વિગત મુજબ નડિયાદ તાલુકાના ભુમેલ ગામના તળાવમાં રવિવારે સવારે એક લાશ તરતી જોવા મળી હતી. જેની જાણ થતા લોકોના ટોળેટોળાં તળાવ ઉપર ઉમટી પડયા હતા. સ્થાનિક લોકોએ તળાવમાં પડી લાશને બહાર કાઢી હતી. બે દિવસ પહેલા ગુમ થયેલા ભુમેલ ગામના અસ્થિર મગજના શૈલેષ કિરીટભાઈ પરમાર (દરજી) (ઉં. ૪૦ વર્ષ)ની આ લાશ હોવાની ઓળખ થઈ હતી. આ અસ્થિર મગજના અપરણિત યુવકે કોઈ ગમ્ય કારણસર તળાવમાં પડી આપઘાત કર્યાનું બહાર આવ્યું છે. બનાવની જાણ તથા ચકલાસી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ચકલાસી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:51 pm IST)