Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

વડોદરામાં સાસરીમાં દિવાળી મનાવવા આવેલ સંખેડાની વિધવાએ આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા:સંખેડા પિયરમાં રહેતી વિધવા દિવાળીનો તહેવાર ઉજવવા માટે સાસરીમાં વડોદરા રાવપુરા વિસ્તારમાં આવી હતી.તે દરમિયાન ગઇકાલે  રાતે અગમ્ય કારણોસર તેમણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે કારેલીબાગ પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,સાત વર્ષ પહેલા પતિનું અવસાન થતા મીનાબેન નિમેશભાઇ રાવળ બે સંતાનો સાથે પિયર સંખેડા રહેવા જતા રહ્યા હતા.પતિના પેન્શન પર તેઓનું ઘર ચાલતું હતું.દિવાળીના તહેવારની ઉજવણી માટે તેઓ બંને બાળકો સાથે વડોદરામાં રાવપુરા વિસ્તારમાં સાસરીમાં આવ્યા હતા.ગઇકાલે રાતે તેમના બાળકો નીચેના માળે ટીવી જોતા હતા.તે દરમિયાન મીનાબેને ઉપરના માળે જઇને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.થોડીવાર પછી પુત્ર ઉપરના માળે જતા દરવાજો ખુલ્લો હોઇ તેણે માતાને ફાંસો ખાધેલી  હાલતમાં લટકતા જોઇને બૂમાબૂમ કરતા અન્ય  પરિવારજનો દોડી આવ્યા હતા.અને મીનાબેનને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા.પરંતુ,તેને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું.કારેલીબાગ પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

(5:52 pm IST)