Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રામપરા ગામના ધનેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિક્રમાવાસી ઓની સેવા કરી મિત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટનું ઉદ્ઘાટન થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: મીત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ નું ઉદ્ઘાટન નાંદોદ તાલુકાના રામપરા ગામે ધનેશ્વર મહાદેવ મંદિર પર નર્મદા પરિક્રમા વાસીઓની સેવા કરી કરવામાં આવી હતી
 નર્મદા જીલ્લા સહિત અન્ય શહેરો માં ચાણોદ, ભરૂચ, હળદવા,વાધોડીયા, વડોદરા, અમદાવાદમા મીતગ્રુપના પ્રેરણા સ્ત્રોત જતિનભાઈ શાહ અને મીતગ્રુપ પ્રમુખ જીગ્નેશભાઈ વસાવા ના માર્ગદર્શન થી ચાલતા સેવકાર્યોમાં જરૂરિયાત મંદો ને રક્તદાન અને અન્ય જીવન જરૂરિયાત ની સેવાઓ ચાલતી આવી છે,આ ગ્રૂપના સદસ્યોએ અત્યાર સુધી અસંખ્ય જરૂરિયાત મંદોને રક્તદાન કર્યુ છે ને અવાર નવાર રક્તદાન કેમ્પનુ પણ આયોજન કરતા હોય છે,આ સેવાભાવી મીતગ્રુપ પ્રમુખ જીગ્નેશભાઈ વસાવાના જન્મદિવસ પર નાંદોદ તાલુકા ના રામપરા ગામના ધનેશ્વર મહાદેવ મંદિર પર નર્મદા પરિક્રમા વાસીઓની સેવા કરી મીત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ નુ ઉદ્ધાટન કરવામા આવ્યુ હતું.

(11:08 pm IST)