Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ઓમીક્રોનની આફત વચ્ચે અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ :અમદાવાદમાં નવા 43 કેસ સાથે રાજ્યમાં 111 પોઝીટીવ કેસ :ઘણા મહિના બાદ કોરોનાએ સદી ફટકારી : વધુ 78 દર્દીઓ સાજા થયા :વધુ બે દર્દીઓના મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.108 થયો :કુલ 8.18.129 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2.13.972 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 43 કેસ, સુરતમાં 18 કેસ, રાજકોટમાં 14 કેસ,વડોદરામાં 11 કેસ, કચ્છ અને વલસાડમાં 5-5 કેસ,ખેડા અને નવસારીમાં 4-4 કેસ, આણંદમાં 3 કેસ, મહીસાગરમાં 2 કેસ, ભાવનગર અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 668 એક્ટિવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં હતા,ત્યારે છેલ્લા કેટલાક ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 111 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 78 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 111 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 78 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.18.129 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી આણંદ અને જામનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.108 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.70 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.13.972 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8,78.97.734 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ  668 એક્ટિવ કેસ છે, જેમાંથી 12 લોકો વેન્ટિલેટર પર અને 656 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18.129 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી આણંદ અને જામનગરમાં એક-એક  દર્દીનું મૃત્યુ થયું છે ,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.108 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 111 કેસમાં અમદાવાદમાં 43 કેસ, સુરતમાં 18 કેસ, રાજકોટમાં 14 કેસ,વડોદરામાં 11 કેસ, કચ્છ અને વલસાડમાં 5-5 કેસ,ખેડા અને નવસારીમાં 4-4 કેસ, આણંદમાં 3 કેસ, મહીસાગરમાં 2 કેસ, ભાવનગર અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:09 pm IST)