Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ધનુર્માસ દરમ્યાન કડકડતી ઠંડીમાં SGVP ગુરુકુલ દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ

અમદાવાદ : ઋષિમુનિઓ દ્વારા પ્રવર્તીત આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા અદ્ભૂત છે જેમાં લૌકિક પ્રાપ્તિ સાથે પરલોક પ્રાપ્ત થાય અને જગત વ્યવહાર સાથે અધ્યાત્મ સહેજે વણાય જાય.

વિદ્યાર્થીઓને ગરીબો, વૃદ્ધો પ્રત્યે લાગણી જન્મે તેવા શુભ હેતુથી SGVP  ગુરુકુલ દ્વારા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને કુંજવિહારીદાસજી સ્વામીની આગેવાની નીચે દર વરસે ધનુર્માસમાં SGVP ગુરુકુલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પોતાની પોકેટ મનીમાંથી રકમ બચાવીને ગરીબોની સહાય કરતા હોય છે.

ચાલુ સાલે પણ એજ રીતે ચાલુ ધનુર્માસમાં રાત્રીના સમયે, વૃદ્ધાશ્રમ, અપંગ અંધાશ્રમ તેમજ ગરીબ વિસ્તારમાં વિદ્યાર્થીઓએ જાતે જઇ ધાબળાનું વિતરણ કર્યું હતું.

(12:19 pm IST)