Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરાઃ શહેરી વિકાસ વિભાગમાં મુકેશકુમારની નિમણૂંક

સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે કેયુર સંપટઃ રાજ્યના ૭ આઈએએસ અધિકારીઓની બદલી

રાજકોટ, તા. ૨૪ : ગુજરાત રાજ્યમાં વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર સાથે ૭ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કાર્યરત મુકેશકુમારની બદલી રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં કરવામાં આવી છે. જ્યારે અર્બન હાઉસીંગ ડીપાર્ટમેન્ટમાં કાર્યરત લોચન સહેરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા છે.

જ્યારે મુકેશ પુરીને શહેર વિકાસમાંથી બદલીને ઉર્જા અને પેટ્રોકેમીકલ્સમાં મુકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે કેયુર સંપટને મુકવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે કાર્યરત ડો. નવનાથને એડીશ્નલ રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

રૂરલ ડેવલપમેન્ટમાંથી આર.આર. દવેને ગુજરાત લાઈવલીહુડ મિશનમાં મુકવામાં આવ્યા છે જ્યારે રાકેશ શંકરને જીએડી પ્લાનિંગમાંથી નિર્મળ ગુજરાતમાં મુકવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુકેશકુમાર અગાઉ રાજકોટમાં મ્યુનિસિપલ કમિશ્નર તરીકે તથા લોચન સહેરા પ્રાંત અધિકારી તરીકે રહી ચૂકયા છે.

(4:42 pm IST)