Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

સુરતના લીંબાયત વિસ્તારમાં બીમારીથી કંટાળી પ્રોઢે ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: લિંબાયતમાં બિમારીથી કટાંળીને વૃધ્ધ તથા ડીંડોલીમાં યોગ્ય કામ નહી મળતા નાસીપાસ થઇને યુવાને જ્યારે નવસારી બજાર ખાતે ઓફિસમાં કોઇ કારણસર ટેન્શનમાં પ્રોઢે આત્મહત્યા કરીને મોતને વ્હાલુ કર્યુ હતુ. નવી સિવિલથી મળેલી વિગત મુજબ નવસારી બજાર ખાતે નિત્યાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા ૫૪ વર્ષીય દિપકભાઇ પુનમચંદ જરીવાલાએ ગત તા.૨૬-૧૧-૨૦૨૧ના રોજ નવસારી બજાર ખાતે ચોકસી બિલ્ડીંગ નજીક પોતાની ટુર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં કોઇ કારણસર ટેન્શનમાં આવીને ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં ગઈ કાલે રાતે તેમનું મોત નિપજ્યું હતું.

બીજા બનાવમાં ડીંડોલીમાં નવાગામમાં ઠાકોરનગરમાં રહેતા ૪૧ વર્ષીય હેમરાજ કેશવરામ દેકારેએ બુધવારે સાંજે ઘરે છતના હુક સાથે રૃમાલ બાંધી ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. પોલીસે કહ્યુ કે હેમરાજને એક સંતાન છે. તે અગાઉ છુટક કામ કરતો હતો. પણ છેલ્લા કેટલાક દિવસથી તેને યોગ્ય કામ નહી મળતા બેકાર હોવાથી નાસીપાસ થઇને આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. ત્રીજા બનાવમાં લિંબાયતમાં રામનગર નજીક શિવકૃપા સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષીય જગદીશભાઇ એકનાથભાઇ કાટવે બુધવારે બપોરે ઘરે લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે જગદીશભાઇ છેલ્લા ઘણા સમયથી ભગંદરની બિમારીથી પીડાતા હતા. તેને પ્રેશરની તકલીફ હોવાથી ઓપરેશન પણ થઇ શક્તુ ન હતુ. આવા સંજોગોના લીધે તાણ અનુભવતા હોવાથી આ પગલુ ભર્યુ હતુ. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ઘરી છે.

(6:28 pm IST)