Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ચુંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો દ્વારા સાણંદ ખાતે ડો.બાબાસાહેબની પ્રતિમાએ પુષ્પાંજલી અર્પણ કરાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : સાણંદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ડોબાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાએ ફુલહાર પુષ્પાંજલીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરપંચ ઉમેદવારી કરનાર, સભ્યોની ઉમેદવારી કરનાર, સાણંદ કોર્ટ બાર એસોસિઅનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે વિજેતા બનેલ એડવોકેટ સંજયભાઈ વાઘેલા અને તેમની ટીમ, તેમજ ચૂંટાઈ ને આવેલા તમામ પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા અને ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ગ્રામ પંચાયતમા વિકાસના કામ તેમજ લોકોના ઘેર બેઠા કામ કરવામાં આવશે એવી બાહેંધરી પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. (તસવીર : ચિરાગ પટેલ – સાણંદ)

(7:29 pm IST)