Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમદાવાદમાં કોરોનાના 32 કેસ સાથે રાજ્યમાં નવા 98 પોઝીટીવ કેસ :વધુ 69 દર્દીઓ સાજા થયા :વધુ ત્રણ દર્દીઓના મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.111 થયો :કુલ 8.18.198 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.75.539 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 32 કેસ, સુરતમાં 19 કેસ, વડોદરામાં 12 કેસ, રાજકોટમાં 10 કેસ, કચ્છમાં 6 કેસ, વલસાડમાં 5 કેસ, ખેડામાં 3 કેસ, ગાંધીનગર, જૂનાગઢ,નવસારી અને સાબરકાંઠામાં 2-2 કેસ, ભાવનગર, ગીર સોમનાથ,અને જામનગરમાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 694 એક્ટિવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં હતા,ત્યારે છેલ્લા કેટલાક ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 98 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 69 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 98 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 69 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.18.198 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી અમદાવાદ,જામનગર અને પોરબંદરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.111 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.70 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.75.539 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8,80.73.273 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ  694 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 લોકો વેન્ટિલેટર પર અને 686 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18.198 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ, જામનગર અને પોરબંદરમાં એક-એક  દર્દીનું મૃત્યુ થયું છે ,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.111 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 98 કેસમાં અમદાવાદમાં 32 કેસ, સુરતમાં 19 કેસ, વડોદરામાં 12 કેસ, રાજકોટમાં 10 કેસ, કચ્છમાં 6 કેસ, વલસાડમાં 5 કેસ, ખેડામાં 3 કેસ, ગાંધીનગર, જૂનાગઢ,નવસારી અને સાબરકાંઠામાં 2-2 કેસ, ભાવનગર, ગીર સોમનાથ,અને જામનગરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:22 pm IST)