Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રાજપીપળા ટાઉનહોલ ખાતે બીજેપી દ્વારા નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોનો સન્માન સમારોહ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાંસદ મનસુખ વસાવા સંસદ ગીતાબેનરાઠવા તથા નર્મદા જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,ભાજપના કાર્યકર્તાઓની હાજરીમાં નવા ચૂંટાયેલા ૧૬૭ જેટલા સરપંચનો સન્માન સમારંભ યોજાયો હતો.

 જેમાં સાંસદ મનસુખ વસાવાએ બીજેપીની કાર્ય પદ્ધતિથી કામ કરી સરકારની યોજનાઓ સુધી પહોંચે અને નાના ગામડાઓમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓ પહોંચે તે પ્રમાણે શીખ આપી અને સૌને સાથે રાખી કાર્ય કરવા માટે હાકલ કરવામાં આવી
સાંસદ ગીતાબેનરાઠવાએ તમામ સરપંચોની અભિનંદન આપી અને પ્રધાનમંત્રીની યોજનાઓ થકી ગામડાઓનો સારો વિકાસ થાય તે જોવા માટે જણાવ્યું જ્યારે ઘનશ્યામભાઈ પટેલે તમામ સરપંચ અને સભ્યોને આવકારી બીજેપી એ આપણું પોતાનું ઘર છે એમ કહી બીજેપીમાં સંગઠન વધારવા માટે અનુરોધ કર્યો હતો.

(11:13 pm IST)