Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

નર્મદા પંચકોશી પરિક્રમા માટે પોઇચા નર્મદા ઘાટ પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા : બોટની વ્યવસ્થા વધારવા માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ પંચકોશીમાં નર્મદાની પરિક્રમાનો મહિનો ચાલી રહ્યો છે માં નર્મદાની પરિક્રમા કરવા માટે ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ સહિત દૂર દૂરથી ભક્તો આવતા હોય છે કેટલાક ભક્તો આ પંચકોશી માં નર્મદાની પરિક્રમા પોઇચા નર્મદા ઘાટ પરથી શરૂ કરતા હોઈ છે તો કેટલાક અન્ય સ્થળેથી કરતા હોય છે,હાલ પરિક્રમાના મહિનો પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ નર્મદા પરિક્રમા કરવા માટે આજે નર્મદા નદીના પોઇચા ઘાટ પર હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા પરંતુ ઘાટ ઉપર નાવડી ઓછી અને ભક્તો વધુ હોવાથી ભક્તોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો  જેથી પરિક્રમા વાસીઓ માટે નર્મદા નદીના ઘાટ ઉપર વધુ નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવે અને પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી ભક્તો દ્વારા માંગ કરાઇ છે.

 

(10:41 pm IST)