Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

આન ગુજરાત દ્વારા કીટ વિતરણ

રાજકોટઃ  આન ગુજરાત (એલ્યુમની એસો. ઓફ નવોદય ગુજરાત) દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જ્યાં વાવાઝોડાના કારણે ગંભીર નુકસાન થયેલ છે. તેવા ગ્રામ્ય વિસ્તાર માં ૪૦૦ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.  આ કાર્યમાં હાથી મસાલા, રાજકોટ અને જવાહર નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ફાળો એકઠો કરીને આ કાર્ય પૂર્ણ કરેલ છે. આ કાર્યમાં આન ગુજરાતની ટીમના વોલન્ટિયર દિપક રાઠોડ, કેવિન બાલધા, સંઘદીપ ચૌહાન, આકાશ પુજારા અને યુવરાજસિંહ, રાજુલા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ચાંચબંદર અને  એનડીઆરએફની ટીમ સાથે મળી ૩૦ જેટલી કીટનું વિતરણ સંપૂર્ણ અસરગ્રસ્ત ગામમાં કર્યું હતું.

(3:24 pm IST)