Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રાજકોટથી રાણાપુર જતા પરિવારને અકસ્માત નડ્યો : પંચેલા ગામે નેશનલ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત

દાહોદઃ ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. રાજકોટથી રાણાપુર જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. ગઈ કાલે પંચેલા ગામે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. બંને ઘાયલોને દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. 31 વર્ષીય પુરુષ તેમજ 68 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:47 pm IST)