Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

શંકરસિંહની દિલ્હી કુચને સૌરાષ્ટ્રના ખેડૂતોનો ટેકો

રાજકોટ તા.રપ : કેન્દ્ર સરકારના નવાકૃષિ કાયદાના વિરોધમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા સમર્થકો સાથે તા.ર૬મીએ ગુજરાતથી દિલ્હી કુચ કરનાર છે તેને સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોએ ટેકો જાહેર કર્યો છે.

રાજકોટના બિપીન રાવલ (મો. ૮ર૦૦૮ ૧પ૧૩૭) અને કૌશીકસિંહ પી.જાડેજાની યાદીમાં જણાવાયા મુજબ સૌરાષ્ટ્રમાંથી ભનુભાઇ ઓલકિયા, ભરત જીંજરીયા, મોહનભાઇ નાર, ભરતભાઇ મેર, અનિલ ગોપાલભાઇ રણછોડભાઇ રામાણી, ભાવેશ વેકરિયા, કિશોર ચોવટીયા, ભાવેશ લાડાણી, અજય પિત્રોડા, અલ્પેશ ટાંક, દર્શન રૈયાણી, ચંદુભાઇ રામાણી, અમૃત ગજેરા, ડાયાભાઇ ડાભી દર્શન વીંજુવાડીયા, ધુસાભાઇ પટેલ, અવચર મુંગરા, ગભરૂભાઇ ભરવાડ, ગજુભાઇ ખાચર, અશોક કેશવાલા, મેરૂભાઇ ઓડેદરા, જગાભાઇ બાવળિયા, માવજીભાઇ પટેલ, ધરમશીભાઇ પટેલ, વિજય પારેખ વગેરેએ બાપુના ખેડૂત તરફી આંદોલનનું સમર્થન કર્યુ છે.

(12:51 pm IST)