Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વિરમગામ શહેરના વિશ્વકર્મા ધામ ખાતે મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાયો

પ્રથમ પાટોત્સવ નિમિત્તે યજ્ઞ, અભિષેક, ભવ્ય અન્નકુટ, ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ વિરમગામ નુ શહેરના કસ્ટમ ની ચાલી પાસે આવેલ વિશ્વકર્મા ધામ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે 25 ડિસેમ્બરના રોજ શુક્રવાર માગશર સુદ અગિયારસે વિશ્વકર્મા ધામ ખાતે  સવારથી યજ્ઞ ભગવાનનો અભિષેક ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

 . જેમાં પ્રથમ પાટોત્સવના યજમાન ગં.સ્વ સવિતાબેન જેઠાભાઈ કડીયા હસ્તે જનકભાઇ અને ભરતભાઇ અમદાવાદ  લાભ લીઘો હતો. ઉલ્લેખનીય છેકે વર્તમાન પરિસ્થિતિને લઈને સમાજના જૂજ વ્યક્તિઓની હાજરીમાં ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળના પ્રમુખ રસિકભાઇ જાદવાણી, પ્રાણજીવનભાઇ ગુંજારીયા, પ્રવિણભાઇ વડગામા, અરવિંદભાઇ સહિત સમાજના આગેવાનો હોદ્દેદારો સહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

(6:34 pm IST)