Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સુરતના પરવત ગામની બે સંતાનોની માતાએ આપઘાત પૂર્વે હાથ પર સુસાઇડ નોટ લખીઃ પતિ મુજે હેરાન પરેશાન કરતા હૈ મેં તંગ આ ગઇ હું

પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઇઃ મૃતકના પરિવારજનો ફરિયાદ કરશે તો ગુન્‍હો નોંધાશે

સુરતઃ સુરતના પરવત ગામની બે સંતાનોની માતાએ પતિના ત્રાસથી આત્‍મહત્‍યા કરી છે. મૃતક મહિલાએ હાથ પર સ્‍યુસાઇડ નોટ લખીને પતિના ત્રાસથી તંત્ર આવી ગઇ છુ તેવુ જણાવ્‍યુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં મહિલાઓ સાથે શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે સુરતમાં હાથ પર સુસાઈડ નોટ લખી મહિલાએ આપઘાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મહિલાએ સુસાઈડ નોટમાં મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી'  પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે જણાવ્યું છે કે મૃતકના પરિવારજનો ફરિયાદ કરશે તો પોલીસ ગુનો નોંધશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના મહિલાની આત્મહત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સુસાઈડ નોટમાં લખ્યું કે મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી' પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે. એટલું જ નહીં, હાથ પર હિન્દી ભાષામાં ‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’લખી પરવત ગામની મહિલાએ જીવન ટૂંકાવ્યું છે.

મહત્વનું છે કે, પરવત ગામમાં 2 સંતાનોની માતાએ આપઘાત કરતાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ પોલીસે જણાવ્યું છે કે મૃતકના પરિવારજનો ફરિયાદ કરશે તો પોલીસ ગુનો નોંધશે.

(5:05 pm IST)