Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

માલપુર મામલતદારનો તઘલખી નિર્ણય ! : ટ્વિટર ફોલોઅર્સ વધારવા માટે રેવન્યુ તલાટીને આપ્યો આદેશ

માલપુર મામલતદારનાં જોહુકમી ભર્યા આદેશને લઈ કર્મચારીઓમાં રોષ : રેવન્યુ તલાટીઓને દરરોજ 10 ફોલોઅર્સ વધારવા આપ્યો આદેશ

માલપુર તા. 27 : માલપુર મામલતદારે રેવન્યુ તલાટીને અજીબો-ગરીબ આદેશ આપ્યો છે. મામલતદારે રેવન્યુ તલાટીઓને દરરોજ 10 ફોલોઅર્સ વધારવા જોહુકમી ભર્યો આદેશ કર્યો છે. જેને લઈ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે 10 ફોલોઅર્સ વધારવા સાથે જો કોઈ અનફોલો થાય તો બીજા ફોલોઅર્સ વધારવા પણ સૂચન કરવામાં આવ્યું છે. આ દરમીયાન પત્ર વાયરલ થતા મહેસુલ વિભાગે રિપોર્ટ માંગ્યો છે.

માલપુર મામલતદાર દ્વારા કરાયેલા આદેશ મુજબ કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટીએ બી.એલ.ચૌધરીને મામલતદાર માલપુરના ટ્વીટર એકાઉન્ટ પર દરરોજ ૧૦ નવા ફૉલોઅર્સ વધારવા આદેશ કરવામાં આવે છે. જે તારીખે જેટલા ફોલોઅર્સ અનફોલો કરે તેના બીજા દિવસે અનફોલો કરનારની સંખ્યા ઉમેરાતા જે આંકડો થાય તેટલા ફોલોવર્સ વધારવાનો લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવે છે. આ કામગીરી અંગે મામલતદારને રોજે રાજ જાણ કરવાની રહેશે. જે આદેશનો તાત્કાલિક અમલ કરવા જણાવાયું છે.

માલપુર મામલતદાર દ્વારા કરાયેલા આદેશ મુજબ કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટીએ બી.એલ.ચૌધરીને મામલતદાર માલપુરના ટ્વીટર એકાઉન્ટ પર દરરોજ ૧૦ નવા ફૉલોઅર્સ વધારવા આદેશ કરવામાં આવે છે. જે તારીખે જેટલા ફોલોઅર્સ અનફોલો કરે તેના બીજા દિવસે અનફોલો કરનારની સંખ્યા ઉમેરાતા જે આંકડો થાય તેટલા ફોલોવર્સ વધારવાનો લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવે છે. આ કામગીરી અંગે મામલતદારને રોજે રાજ જાણ કરવાની રહેશે. જે આદેશનો તાત્કાલિક અમલ કરવા જણાવાયું છે.

(12:28 am IST)