Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

હર્ષદ પટેલ ફરી રાહત કમિશનરઃ ડી.એ. શાહ સહકારી રજીસ્‍ટ્રાર આઇ.એ.એસ. કેડરમાં છુટક-છુટક બદલીનો દોર

ભીમજીયાણીની સહકાર-પશુ સંવર્ધન સચિવ તરીકે નિમણૂંક

રાજકોટ તા. ર૭ : રાજય સરકારે આઇ.એ.એસ. કેડરમાં બદલીના ત્રણ-ચાર હુકમ કર્યા છે. નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહની સહકારી મંડળીઓના રજીસ્‍ટ્રાર તરીકે ખાલી જગ્‍યા પર નિમણૂંક કરી છે.નર્મદા કલેકટર તરીકે હજુ કોઇની નિમણૂંક થઇ નથી. સેટલમેન્‍ટ કમિશનર કે.એમ. ભીમજીયાણીને સહકાર, પશુ સંવર્ધન અને મત્‍સ્‍યોદ્યોગના સચિવની ખાલી જગ્‍યા પર મૂકવામાં આવ્‍યા છે.

વડોદરામાં ગુજરાત આલ્‍કલીઝ એન્‍ડ કેમીકલ્‍સ લિ.માં એમ.ડી.તરીકે ફરજ  બજાવતા હર્ષદ આર.પટેલને રાહત કમિશનર બનાવાયા છે. તેમની ખાલી પડતી જગ્‍યાનો હવાલો જમીન સુધારણા કમિશનર પી.સ્‍વરૂપને સોપાયો છે. શ્રી હર્ષદ પટેલ અગાઉ રાહત કમિશનર તરીકે રહી ચૂકયા છે. ગાર્ગી જૈનને ગુજરાત ઇન્‍ફોર્મેટિક લિ.નો વધારાનો હવાલો સોપાયો છે. ત્‍યાં એમ.ડી.તરીકે રહેલા સચિન ગુસિયા (આઇ.આર.એસ.)ને આદિજાતિ વિકાસ નિગમમાં વહીવટી નિયામક તરીકે ચૂકવામાં આવ્‍યા છેે.

(12:03 pm IST)