Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

શ્રાવણ મહિનામાં વિરમગામ બસ સ્ટેન્ડ થી હાંસલપુર સુધી બસ શરૂ કરવામાં આવી

સવારે 5.30 કલાકે વિરમગામ બસ સ્ટેન્ડ થી બસ વાયા ગોલવાડ, ભરવાડી દરવાજા થઈ હાંસલપુર જશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના ભાવિક ભક્તો માટે વિરમગામ ડેપો દ્વારા બસની ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વિરમગામ પાસે હાંસલપુર ગામમાં આવેલ સુપ્રસિદ્ધ સેરેશ્વર મહાદેવના દર્શને નગરના ભાવિક ભક્તો નિયમિત પણે સંપૂર્ણ શ્રાવણ મહીનો જતા હોય છે. ભાવિક ભક્તોની માગણીને ધ્યાનમાં રાખી  વિરમગામ ડેપો દ્વારા જુલાઈ 28/7/22 ને ગુરુવાર થી સવારે 5.30 કલાકે વિરમગામ બસ સ્ટેન્ડ થી બસ વાયા ગોલવાડ અને ભરવાડી દરવાજા થઈ જશે તેમ ડેપો મેનેજરની સૂચના થી ડેપો અધિકારી મુલતાનીભાઈ એ જણાવ્યું હતું. વધુમા જણાવ્યું હતું કે સ્પેશ્યલ બસ હોવાથી આ બસ મા કોઈ કન્સેશન પાસ ચાલશે નહીં. બસ નો લાભ લેવા સલાહકાર સભ્ય  તેજસ વજાણી એ ભક્તો ને અપીલ કરી હતી.

(7:50 pm IST)