Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પૂ. હરિપ્રસાદ સ્વામીના દર્શને સાંજે કુંવરજીભાઇ બાવળીયા - કાલે સૌરભભાઇ પટેલ

વડોદરા, તા. ર૮ : હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભકતો શોકમગ્ન બની

ગયા છે. આ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ભકતો સોખડા ખાતેના મંદિર પહોંચ્યા છે, અને તેમના ભગવાનની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે.

પૂ. હરી પ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન કરવા માટે અનેક મહાનુભાવો પણ આવશે. આજે સાંજે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા દર્શન કરવા આવશે. તો આવતીકાલે ગુરુવારે મંત્રી સૌરભ પટેલ દર્શન કરવા આવશે.

હરી પ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન ભકતો માટે શરૂ કરાયા છે. આજે સવારે ૮ થી ૧૨ ડભોઈ તાલુકા અને છોટાઉદેપુર જિલ્લાના ભકતોએ દર્શન કર્યા હતા. તો સાથે જ આણંદ જિલ્લા, ખેડા જિલ્લાના ભકતો માટે પણ સવારનો સમય નક્કી કરાયો હતો. તો ૧૨ થી ૪ દરમિયાન વાગરા, કરજણ, શિનોર અને આમોદ તાલુકાના ભકતો માટે દર્શન ગોઠવાયા હતા. આ સમય દરમિયાન બોડેલી, સંખેડા, વાઘોડિયા, પાદરા અને જંબુસરના ભકતો પણ કરી શકશે. તો ૪ થી ૮ દરમિયાન વડોદરા શહેર, સાવલી, હાલોલ, ગોધરા અને દાહોદ, વડોદરા તાલુકાના ભકતો દર્શન કરી શકશે. 

(3:47 pm IST)