Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

*શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં અષાઢ વદ અમાસ - શ્રી સદ્ ગુરુ દિનની ઉજવણી તથા સૂકામેવાના કલાત્મક મનોરમ્ય હિંડોળો સજાવ્યો...*

અષાઢ વદ અમાસના દિવસે’ દિવાસા’નો તહેવાર આવે છે. 'દિવાસા’ને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે.દક્ષિણ ગુજરાતનાં હળપતિ આદિવાસીઓનો દિવાસો મુખ્ય તહેવાર છે.ચોમાસામાં વાવણી કરવામાં આવે છે.અષાઢ મહિનામાં ખેતર લીલુંછમ થઈ જાય છે.હરિયાળી અમાસ ‘દિવાસા’ના દિવસે ખેતરમાં હરિયાળી જોઇ હળપતિઓ આનંદ વ્યક્ત કરવા તુરી,થાળી,તંબુરો,ભૂંગળ અને ઝારી કાઠી જેવાં વાદ્યો વગાડી ‘ચાળો’નૃત્ય કરે છે અને રંગેચંગે ‘દિવાસા’ ની ઉજવણી કરે છે.તે દિવસે ઢીંગલી ઉત્સવ પણ મનાવે છે.

દિવાસા’ના દિવસથી દિવાળી સુધી શ્રાવણ,ભાદરવો અને આસો મહિનામાં આવતા તહેવારોની શ્રુંખલાની શરૂઆત થાય છે.એટલે ‘દિવાસા’ને ‘દિવાળીનો દરવાજો ‘પણ કહેવામાં આવે છે.

સુંદર રીતે જુદી- જુદી વિવિધ વસ્તુઓ વડે શણગારેલાં હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાનાં કીર્તનો ગવાતાં હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થાય છે

 

અષાઢ અને શ્રાવણ એ બે માસ એટલે ભગવાનની ભક્તિમાં તલ્લીન થવાના માસ. દર વર્ષે અષાઢ- શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે ઝુલાવાનો અણમોલ સુઅવસર. ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવાં, એમને જમાડવા- પોઢાડવા અને એમને ઝુલાવવા. હિંડોળાની રચના કરવામાં સૌ ભક્તો પોતાની ઊર્મિઓ ઠાલવે છે. કળા અને કસબ, ધન અને શ્રમ એમાં સીચે છે. હૃદય આનંદથી વિભોર બની જાય છે.

 

આ દિવસો દરમિયાન મંદિરોમાં વિધવિધ હિંડોળા તૈયાર કરવામાં આવે છે. ભગવાનના હિંડોળાને ફૂલોથી, સુકામેવાથી, ફ્રૂટથી, પવિત્રાંથી, રાખડીઓથી, મીણબત્તી, પેન, કોડી, શૃંખલા, છીપલાં, મોરપીંછ, સિક્કાઓથી, અગરબત્તી, આદિથી શણગારવામાં આવે છે. હિંડોળા દરમ્યાન મંદિરોમાં ઝાંઝ, પખાજ, મંજીરા, ઢોલક, તબલાંથી ઔચ્છવ કરવામાં આવે છે. ત્યારે બાળકો, યુવાનો, ભાઈઓ- બહેનો સૌ ભગવાન્મય બની નાચતા હોય છે.

 

 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, જીવનપ્રાણ સ્વામીબાપાને આ વર્ષે હિંડોળા પર્વમાં પ્રેમથી અને ભક્તિભાવથી ઝુલાવીએ અને તે હિંડોળાની સેવામાં તન, મન અને ધનથી સેવા કરીને પ્રસન્ન કરીએ.

હિંડોળા ઉત્સવ પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતો- ભકતોએ સૂકા મેવાની વિવિધ સામગ્રીની થીમ પર હિંડોળો સજાવ્યો છે. જેનાં દર્શનથી દેશ વિદેશના હજારો ભાવિકો કૃતાર્થ થયા છે.

(3:52 pm IST)