Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

લઠ્ઠાકાંડના મૃતકોના પરિવારજનોને રાજય સરકાર આર્થિક સહાય આપેઃ ગોપાલ ઇટાલીયા

‘આપ'ના પ્રદેશ પ્રમુખ બોટાદ જીલ્લાના રોજીદ ગામની મુલાકાતે

રાજકોટ, તા.૨૮: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ રાજયની ભાજપ સરકાર પાસે લઠ્ઠાકાંડના મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવા માંગ કરી છે. ગોપાલ ઇટાલીયાએ ગઇકાલે બોટાદ જીલ્લાના રોજીદ ગામની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારજનોને મળીને સાત્‍વના આપી હતી.

ગોપાલ ઇટાલીયાએ કહ્યુ કે આ ગામમાં અત્‍યાર સુધીમા ૧૦ થી વધુ લોકોના મોત થયા છે ત્‍યારે મૃતકોના પરિવારજનો અને બાળકોની સ્‍થિતી ન બગડે તે માટે આર્થિક સહાય રાજય સરકાર આપે તેવી માંગ કરી છે. ગોપાલ ઇટાલીયાએ ભાજપનાં ધુરંધરો સામે નિશાન સાધીને જણાવ્‍યુ હતુ કે આવી ઘટના છતા હજુ સુધી કોઇએ મૃતકોના પરિવારો પ્રત્‍યે સહાનુભૂતિ દાખવી નથી. નાની-નાની વાતો ઉપર ટિવટ કરનારા નેતાઓ દારૂકાંડમા ચુપ કેમ છે. તેમ કહીને ગોપાલ ઇટાલીયાએ જણાવ્‍યુ હતુ કે, રાજય સરકારે દારૂકાંડને કેમિકલ કાંડ બનાવી દીધુ છે.

(4:04 pm IST)