Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

અમદાવાદ સહીત નગરોમાં વકરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1101 નવા કેસ નોંધાયા:વધુ 886 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું:કુલ મૃત્યુઆંક 10,964: કુલ 12.35.129 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 3.65.501 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 5995 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 1101 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 886 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.35.129 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.964 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.65 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 3.65.501 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.49.87.066 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 5995 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 15 દર્દી વેન્ટિલેટર પર છે,અને 5980 દર્દીઓ સ્ટેબલ છે .

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 1101 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 364 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 78 કેસ, મહેસાણામાં 76 કેસ,ગાંધીનગરમાં 60 કેસ,વડોદરામાં 58 કેસ,સુરત કોર્પોરેશનમાં 48 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 43 કેસ ગાંધીનગર કોર્પોરેશનમાં 40 કેસ,કચ્છમાં 38 કેસસુરતમાં 29 કેસ,બનાસકાંઠામાં 26 કેસ,વલસાડમાં 22 કેસ ભાવનગર કોર્પોરેશનમાં 21 કેસ,નવસારીમાં 19 કેસ,ભરૂચમાં 18 કેસ,અમરેલી અને સાબરકાંઠામાં 17-17 કેસ,પાટણ અને રાજકોટમાં 16-16 કેસ, આણંદમાં 14 કેસ, અમદાવાદ અને મોરબીમાં 10-10 કેસ,પોરબંદરમાં 9 કેસ, દેવભૂમિ દ્વારકામાં 8 કેસ, અરવલ્લી અને ખેડામાં 6-6 કેસ, પંચમહાલ અને તાપીમાં 5-5 કેસ, ભાવનગરમાં 4 કેસ,બોટાદ, જામનગર, જામનગર કોર્પોરેશન , સુરેન્દ્રનગરમાં 3-3 કેસ, મહીસાગરમાં 2 કેસ, છોટા ઉદેપુર,ગીર સોમનાથ,જૂનાગઢ અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે

(7:55 pm IST)