Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

ગાંધીનગર નજીક મોટા ચિલોડામાં 25 વર્ષીય યુવાને ઝાડ પર લટકી મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી

ગાંધીનગર: ગાંધીનગર શહેર નજીક આવેલા મોટા ચિલોડા ખાતે રહેતા રપ વર્ષીય યુવાને ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે સંદર્ભે ચિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. જો કે તેના આપઘાત અંગે હજુ કોઈ સચોટ માહિતી પોલીસને મળી આવી નથી.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ચિલોડાના સુરમ્ય બંગલોઝ પાસે રહેતો રપ વર્ષીય યુવાન મુળ બનાસકાંઠાના અશ્વિન પુંજાભાઈ ગરાસીયા મજુરી કામ કરતો હતો. તે તેની માતા અને બહેન સાથે ચિલોડા રહેતો હતો અને છેલ્લા થોડા દિવસથી મજુરીએ પણ જતો નહોતો. દરમ્યાનમાં આજે સવારના સમયે સુરમ્ય બંગલોઝની પાછળ આવેલી ઝાડીમાં બાવળના ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મૃતદેહ પાસેથી યુવતિ સાથેનો તેનો ફોટો પણ મળી આવ્યો હતો. તેની માતા અને બહેન બીજે કયાંય રહેવા ગયા હોવાથી પોલીસ તેમની શોધખોળ કરી રહી છે અને યુવાનના મૃતદેહને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણવા પોલીસ મથી રહી છે.

(3:15 pm IST)