Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા રેકોર્ડબ્રેક 2252 કેસ નોંધાયા : વધુ 1731 દર્દીઓ સ્વસ્થ થયા : કોરોનાથી 8 દર્દીઓના મોત : :કુલ મૃત્યુઆંક 4500 થયો : કુલ 2,86,577 લોકોએ કોરોનાને હરાવ્યો : મહારાષ્ટ્ર સહીત અન્ય રાજ્યોમાંથી આવતા તમામ લોકોનો RTPCR ફરજીયાત

રાજ્યમાં આજે સુરતમાં 677 કેસ, અમદાવાદમાં 612 કેસ, વડોદરામાં 236 કેસ,રાજકોટમાં 242 કેસ, ભાવનગરમાં 45 કેસ, ગાંધીનગરમાં 44 કેસ,મહેસાણામાં 31 કેસ,ખેડામાં 27 કેસ,નર્મદામાં 26 કેસ,જામનગર. મોરબી અને પંચમહાલમાં 25-25 કેસ, ભરૂચ અને દાહોદમાં 21-21 કેસ,અમરેલીમાં 19 કેસ,કચ્છમાં 18 કેસ,મહીસાગરમાં 17 કેસ,આણંદમાં 16 કેસ,સાબરકાંઠામાં 15 કેસ,વલસાડમાં 14 કેસ,સુરેન્દ્રનગરમાં 13 કેસ,પાટણમાં 12 કેસ નોંધાયા : હાલમાં 12041 એક્ટિવ કેસ:જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 2000ને પાર પહોંચ્યા છે આજે રાજ્યમાં 2252 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 1731 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 2252 કેસ નોંધાયા છે જયારે વધુ 1731 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,86,577 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 8 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 4500 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 94,54 ટકા  થયો છે

 રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદ  કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 1, પંચમહાલમાં 1 મળીને કુલ 8 દર્દીઓના મોત નિપજ્યા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4500 થયો છે 

    રાજ્યમાં હાલ 12041 એક્ટિવ  કેસ છે, જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11,892 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,86,577 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

     રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 2252 પોઝિટિવ કેસમાં સુરતમાં 677 કેસ, અમદાવાદમાં 612 કેસ, વડોદરામાં  236 કેસ,રાજકોટમાં 242 કેસ, ભાવનગરમાં 45 કેસ, ગાંધીનગરમાં 44 કેસ,મહેસાણામાં 31 કેસ,ખેડામાં 27 કેસ,નર્મદામાં 26 કેસ,જામનગર. મોરબી અને પંચમહાલમાં 25-25 કેસ, ભરૂચ અને દાહોદમાં 21-21 કેસ,અમરેલીમાં 19 કેસ,કચ્છમાં 18 કેસ,મહીસાગરમાં 17 કેસ,આણંદમાં 16 કેસ,સાબરકાંઠામાં 15 કેસ,વલસાડમાં 14 કેસ,સુરેન્દ્રનગરમાં 13 કેસ,પાટણમાં 12 કેસ નોંધાયા  છે

(8:08 pm IST)